ધ્યાન   |   સ્વામીજી   |   આશ્રમ   |   કેન્દ્ર   |   કાર્યક્રમ   |   ટ્રસ્ટ   |   સાહિત્ય   |   પ્રાર્થાના ધામ   |   પૂર્તિ   |   Font Help 
સમર્પણ ધ્યાન     
કુંડલીની શક્તિ     
ચક્ર     
સમર્પણ ધ્યાન પધ્ધતિ     
સમર્પણ ધ્યાનની વિશેષતા     

કુંડલીની

આપણા પ્રાચીન ભારતીય શાસ્ત્રોના અનુસાર કુંડલીની એ મૂળ પ્રાણ તત્વ છે, જે મનુષ્યને જીવન પ્રદાન કરે છે.જ્યારે માતાનાં ગર્ભમાં બાળક ચાર મહિનાનું થાય ત્યારે આ પ્રાણ તત્વ ગર્ભમાં દાખલ થાય છે. તે બાળકનાં માથાંનાં(તાળવા નાં) ભાગમાંથી પ્રવેશ કરે છે. જેને સહસ્ત્રાર ચક્ર કહેવાય છે. કરોડરજ્જુમાં આવેલા સાત ઉર્જાશક્તિનાં મુખ્ય કેન્દ્રો(ચક્રો)નું ભેદન કરી, મધ્યનાડીમાંથી પસાર થઇ કરોડરજ્જુનાં અંતભાગમાં ત્રિકોણાકાર સ્વરુપે સ્થિર થાય છે. શરીરમાં પ્રવેશ કરતા આ શક્તિ બધાંજ ચક્રોને સક્રિય કરે છે. માતાનાં જે ચક્રો સક્રિય હોય , બાળકનાં તે ચક્રો , તે શક્તિ ગ્રહણ કરી સશક્ત બને છે અને જે ચક્રો આ ઉર્જા ને ગ્રહણ નથી કરી શક્તા તે ચક્ર કમજોર, નબળા રહે છે. દા.ત.ગર્ભાવસ્થા દરમ્યાન જો માતા આત્મગ્લાનીની લાગણી અનુભવે તો બાળકનું વિશુધ્ધિ ચક્ર પ્રભાવિત થાય છે. માતાના અજાણતા થયેલા આ વિચારોના કારણે બાળક આજીવન વિશુધ્ધિ ચક્રના દોષો ભોગવે છે,દરેક કાર્યક્ષેત્રમાં અસફળ રહે છે.

એક્વાર કુંડલીની જાગૃત થાય તો તે સાત ચક્રોને ભેદીને સહસ્ત્રાર સુધી પહોંચે છે. આ પ્રક્રિયા દરમ્યાન તે આપણી આધ્યાત્મિક પ્રગતીના અડચણરુપ ચક્રોમાં રહેલા દોષો દૂર કરે છે અને આપણને વૈશ્વિકચેતના સાથે જોડે છે.
તે કેટલી પણ મહેનત કરે તેને સફળતા નથી મળતી, તેને ગળા સંબંધિત બીમારી રહે છે.ટુંકમાં તેનું વિશુધ્ધિ ચક્ર જન્મ થી જ ખરાબ રહે છે.

સામાન્ય મનુષ્યના જીવનમાં આ કુંડલીની ઉર્જાશક્તિનો ઘણો મોટો ભાગ સમગ્ર જીવનકાળ દરમ્યાન વપરાયા વિનાનો રહે છે. મતલબ સમગ્ર જીવનકાળ દરમ્યાન તે મોટા ભાગે સુષુપ્ત અવસ્થામાં રહે છે જ્યાં સુધી તેને જાગૃત કરવામાં નથી આવતી.

કુંડલીની જાગૃતિ એટલે સરળ શબ્દોમાં કહીએ તો આ કુદરતી શક્તિનાં ખજાનાને સક્રિય બનાવવી.કુંડલીની શક્તિ મંત્રજાપ દ્વારા અને હઠયોગ દ્વારા પણ જાગૃત કરી શકાય છે. પરંતુ આ પ્રક્રિયામાં વરસો લાગી જાય છે. જ્યારે ગુરુકૃપાથી, તેમની દ્રષ્ટિમાત્રથી કે ઇચ્છામાત્રથી કુંડલીની જાગૃત થઇ જાય છે. શક્તિપાત સમયે ગુરુ પોતાના સંસ્કાર શિષ્યમાં સંક્રમિત કરે છે. ત્યારબાદ  નિયમિત ધ્યાન દ્વારા તે સંક્રમિત બીજને ધ્યાનરુપી પાણીથી સિંચવામાં આવે ત્યારે તે બીજ અંકુરિત થઇ વિશાળ વૃક્ષમાં પરિણમે છે.

જો કુંડલીની શક્તિ જાગૃત થઇ હોય તો નિર્વિચાર સ્થિતિમાં રહેવું સરળ થઇ પડે છે. નિર્વિચાર સ્થિતિએ ધ્યાન નથી, પરંતુ એ ધ્યાનની શરુઆત છે. આમ નિર્વિચાર સ્થિતિમાં રહી ધ્યાન ની સારી સ્થિતિ પ્રાપ્ત કરી શકાય છે.

એક્વાર કુંડલીની જાગૃત થાય તો તે સાત ચક્રોને ભેદીને સહસ્ત્રાર સુધી પહોંચે છે. આ પ્રક્રિયા દરમ્યાન તે આપણી આધ્યાત્મિક પ્રગતીના અડચણરુપ ચક્રોમાં રહેલા દોષો દૂર કરે છે અને આપણને વૈશ્વિકચેતના સાથે જોડે છે.

સમાજમાં અનેક ધ્યાન પધ્ધતિ જોવા મળે છે જેમાં કુંડલીની જાગૃત તો કરવામાં આવે છે, પરંતુ આ બધી પધ્ધતિ ફક્ત આજ્ઞા ચક્ર સુધી પહોંચાડે છે. જ્યાંથી ફક્ત જીવંત ગુરુ, જે સ્વયં સક્ષાતકારી હોય તે, સહસ્ત્રાર પર લઇ જાય છે, કારણકે આજ્ઞા ચક્ર એ ગુરુનું સ્થાન છે, પરમાત્મા તો ફક્ત સહસ્ત્રાર પર રહીને જ પ્રાપ્ત કરી શકાય છે.

પરંતુ સમર્પણ ધ્યાનમાં કોઇપણ વ્યક્તિ ફક્ત ઇચ્છામાત્રથી પરમાત્માની અનુભૂતિને પ્રાપ્ત કરી શકે છે કારણકે સમર્પણ ધ્યાનએ અનુભૂતીનો માર્ગ છે. સમર્પણ ધ્યાન એ સહસ્ત્રાર સુધી પહોંચાડનાર ધ્યાન પધ્ધતિ છે.